Columbus

બલુચ વિદ્રોહીઓનો દાવો: 214 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાની ટ્રેનનું અપહરણ કરી 214 સૈન્ય બંધકોને મારી નાખવાનો દાવો કર્યો છે. પાક સેનાએ 33 વિદ્રોહીઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે, જ્યારે બીએલએએ તેને નકારી કાઢ્યું છે.

Pakistan Train Hijack: બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાનના 214 સૈન્ય બંધકોને મારી નાખ્યા છે. વિદ્રોહીઓનું કહેવું છે કે બલૂચ રાજકીય કેદીઓને મુક્ત કરવાની તેમની 48 કલાકની સમયસીમા પૂર્ણ થઈ ગઈ હતી, અને પાકિસ્તાન સરકારે તેમની માંગણીઓને અવગણી હતી.

પાક સેનાના દાવાને નકાર્યો

બીએલએએ પાકિસ્તાની સેનાના આ દાવાને પણ નકારી કાઢ્યો છે કે બંધકોને સુરક્ષિત રીતે છોડાવી લેવાયા છે. સંગઠનનું કહેવું છે કે પાકિસ્તાન સરકારની "જીદ" અને સૈન્ય વલણને કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું.

કઈ રીતે થયું ટ્રેનનું અપહરણ?

બલૂચ લિબરેશન આર્મી, જે બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરે છે, એણે મંગળવારે પેશાવર જતી જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું. આતંકવાદીઓએ પહેલા રેલ્વે ટ્રેકને વિસ્ફોટથી ઉડાવી દીધો અને પછી ટ્રેન કબજે કરી લીધી. તે સમયે ટ્રેનમાં 400થી વધુ મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના સુરક્ષાકર્મીઓ હતા. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને છોડીને, બીએલએએ બધા સૈનિકોને બંધક બનાવી લીધા હતા.

બીએલએનું નિવેદન: પાકિસ્તાનની ‘જીદ’એ લીધા સૈનિકોના જીવ

બીએલએએ પોતાના નિવેદનમાં કહ્યું, "પાકિસ્તાન સરકારે વાતચીતનો ઇનકાર કર્યો અને હકીકતને અવગણ્યો. તેમની જીદને કારણે અમને 214 સૈન્ય બંધકોને મારવા પડ્યા."

પાકિસ્તાની સેનાનું જવાબી ઓપરેશન

પાક સેનાએ 30 કલાક ચાલેલા આ ઓપરેશનમાં 33 વિદ્રોહીઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે. સેનાના મતે, આ દરમિયાન 23 સૈનિકો, 3 રેલ્વે કર્મચારીઓ અને 5 મુસાફરો પણ માર્યા ગયા. જોકે, બીએલએએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે લડાઈ હજુ પણ ચાલુ છે અને પાકિસ્તાની સેનાને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.

બીએલએનું ‘દર્રા-એ-બોલન ઓપરેશન’

બીએલએએ આ ઓપરેશનને "દર્રા-એ-બોલન" નામ આપ્યું અને કહ્યું કે તેમના 12 લડવૈયાઓ આ અભિયાનમાં માર્યા ગયા છે. સંગઠનનું કહેવું છે કે તેમણે કેટલાક સૈન્ય બંધકોને ખાસ બોગીમાં બંધ કરી દીધા હતા અને પાકિસ્તાની કમાન્ડો પહોંચતાં તેમને ઘેરી લઈને હુમલો કર્યો હતો.

```

Leave a comment