Columbus

શાહરુખ ખાનનું ‘મન્નત’: નામ, ડિઝાઇન અને રિનોવેશનની રસપ્રદ વાતો

બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનનો આઇકોનિક બંગલો ‘મન્નત’ માત્ર એક પ્રોપર્ટી નથી, પણ તેમના સપનાઓ અને મહેનતનું પ્રતીક છે. તાજેતરમાં ખબરો આવી છે કે કિંગ ખાન આ ભવ્ય બંગલાનું મોટું રિનોવેશન કરાવી રહ્યા છે, જેના કારણે તેઓ અને તેમનો પરિવાર થોડા સમય માટે ચાર માળના ભાડાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ 200 કરોડ રૂપિયાના બંગલાનું નામ અત્યાર સુધીમાં ત્રણ વખત બદલાઈ ચૂક્યું છે અને તે એક હેરિટેજ પ્રોપર્ટી પણ છે? ચાલો, ‘મન્નત’ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ ફેક્ટ્સ જાણીએ.

શરૂઆતથી શાહરુખ ખાનની નહોતી ‘મન્નત’!

આજે ‘મન્નત’ શાહરુખ ખાનની ઓળખ બની ગયું છે, પરંતુ શરૂઆતમાં તેઓ અહીં રહેતા નહોતા. શાહરુખ અને ગૌરી પહેલા બાંદ્રામાં એક સી-ફેસિંગ 3BHK એપાર્ટમેન્ટમાં રહેતા હતા. 1997માં ‘યસ બોસ’ની શૂટિંગ દરમિયાન જ્યારે શાહરુખની નજર આ બંગલા પર પડી, ત્યારે તેઓ તેને જોઈને દિવાના થઈ ગયા. જોકે, તે ત્યારે તેમના બજેટથી બહાર હતું, પરંતુ તેમની મહેનત અને સંઘર્ષ બાદ 2001માં તેમણે તે ખરીદ્યું અને તેમના સપનાનું મહેલ બનાવ્યું.

ત્રણ વખત બદલાયું ‘મન્નત’નું નામ

શાહરુખ ખાનના બંગલાનું નામ શરૂઆતમાં ‘વિલા વિયેના’ હતું, જે ગેલેરિસ્ટ કેકુ ગાંધીનું હતું. જ્યારે શાહરુખે તે ખરીદ્યું, ત્યારે તેમણે તેનું નામ ‘જન્નત’ રાખ્યું, જેનો અર્થ સ્વર્ગ થાય છે. પરંતુ જ્યારે આ બંગલો તેમના કરિયર માટે લકી સાબિત થયો, ત્યારે તેમણે તેનું નામ બદલીને ‘મન્નત’ રાખ્યું, જેનો અર્થ પ્રાર્થના થાય છે. આ નામ શાહરુખના જીવનના સંઘર્ષ અને સફળતાને દર્શાવે છે.

‘મન્નત’ એક હેરિટેજ પ્રોપર્ટી છે

‘મન્નત’ માત્ર એક ભવ્ય બંગલો નથી, પરંતુ મુંબઈની ઐતિહાસિક ધરોહરોમાંથી એક છે. તે 1920ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું અને તેને ગ્રેડ III હેરિટેજ સ્ટ્રક્ચર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. INTACH (Indian National Trust for Art and Cultural Heritage) મુજબ, આ દરજ્જો માત્ર તે ઇમારતોને આપવામાં આવે છે, જે ઐતિહાસિક અથવા સ્થાપત્યના દ્રષ્ટિકોણથી ખાસ હોય છે. જોકે, તેનું ઇન્ટિરિયર મોડર્ન અને લક્ઝરી લુકમાં તબદીલ કરવામાં આવ્યું છે, પરંતુ ક્લાસિક વ્હાઇટ કોલમ્સ અને રોયલ લુક આજે પણ બરકરાર છે.

‘મન્નત’ માત્ર બંગલો નહીં, પણ એક અલગ દુનિયા

‘મન્નત’ કોઈ ભવ્ય મહેલથી ઓછું નથી. તેમાં દરેક એવી વસ્તુઓ છે, જે એક સુપરસ્ટારની લાઇફસ્ટાઇલને વ્યાખ્યાયિત કરે છે—
* ટેનિસ કોર્ટ
* હોમ લાઇબ્રેરી
* ફુલી ઇક્વિપ્ડ જીમ
* સ્વિમિંગ પૂલ
* પર્સનલ ઓડિટોરિયમ
* બોક્સિંગ રિંગ
* લક્ઝરી હોમ થિયેટર, જેને બોલિવૂડ ક્લાસિક્સ શોલે, મુઘલ-એ-આઝમ અને રામ અને શ્યામના પોસ્ટર્સથી શણગારવામાં આવ્યું છે.

આ બંગલો કલા, ભવ્યતા અને આધુનિકતાનું એક અનોખું સંગમ છે, જેને શાહરુખ અને ગૌરીએ ખાસ રીતે ડિઝાઇન કર્યું છે.

‘મન્નત’ને કોણે ડિઝાઇન કર્યું?

આ શાનદાર બંગલાની ડિઝાઇનિંગનો શ્રેય શાહરુખની વાઇફ ગૌરી ખાન અને આર્કિટેક્ટ કેફ ફકીહને જાય છે. આ બંગલાને ટ્રાન્સફોર્મ કરવામાં એક દાયકાથી વધુ સમય લાગ્યો. તાજેતરમાં, ડિઝાઇનર રાજીવ પારેખ તેના રિનોવેશનનું કામ જોઈ રહ્યા છે. આ બંગલો છ માળનો છે અને તેમાં અનેક બેડરૂમ, આલીશાન લિવિંગ સ્પેસ અને પ્રાઇવેટ કોર્નર્સનો સમાવેશ થાય છે.

શાહરુખે શા માટે કહ્યું – ‘સબ કુછ બેચ દુંગા, લેકિન મન્નત નહીં’

શાહરુખ ખાન માટે ‘મન્નત’ માત્ર એક ઘર નહીં, પણ તેમના સપનાઓ અને સંઘર્ષની કથા છે. એક વખત શાહરુખે કહ્યું હતું—
"જો ક્યારેય મુશ્કેલી આવી તો બધું વેચી દઈશ, પણ મન્નત નહીં!"

આ નિવેદન દર્શાવે છે કે શાહરુખ માટે આ બંગલો કેટલો ખાસ છે. તે તેમની કઠોર મહેનત અને સફળતાનું પ્રતીક છે, જે તેમણે તેમની લગન અને પ્રતિભાથી મેળવ્યું છે.

Leave a comment